ઇન્ટરનેટને કારણે મને મારા અંતરના ઉંડાણમાંથી સ્ફૂરતી વિચારધારા ગુજરાતી ભાષામાં વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાષા જાણનારા લોકો સાથે વહેંચવાનો મોકો મળ્યો છે.
જેવું આવડે છે તેવુ, જેટલુ આવડે છે તેટલુ – અહી લખવા અને દર્શાવવા વિચાર્યું છે.
આ બ્લોગ પર મને મારા જીવનમાં પ્રેરણા આપનાર વ્યક્તિઓ, તેમના તેમજ અન્યોના વિચાર અને પ્રસંગોને શબ્દ અને વિડિયોનું સ્વરુપ આપ્યુ છે.
આમ તો હું પ્રોફેશનલ ફિલ્મ મેકર નથી, પરંતુ – શોખને લીધે : શુટીંગ, એડીટીંગ, વોઇસ ઓવર, ડબીંગ, મ્યુઝીક મીક્ષિંગની જાણકારી મેળવીને જે વિડિયો ક્લીપ બનાવી છે એ તમને કેવી લાગી એ જરુરથી જણાવશો.
પ્રેરણા, જનમત, મંથન અને માર્ગદર્શન જેવી કેટેગરીમાં મારા વિચારોને વિભાજીત કર્યા છે.
પ્રેરણા :
પ્રગતિ માટે આવશ્યક એવા વિચારો જ જન્મ આપે છે પ્રેરણાને.
પરિશ્રમ કરવા પ્રોત્સાહિત કરવાની ક્ષમતા હોય છે ફક્ત પ્રેરણામાં.
એટલે જ પ્રેરણા ક્યાંથી, ક્યારે, કેવી રીતે, મળી શકે તેની વાતો અહી કરીશ.
જનમત
જનમત એટલે જનતાનો મત.
આમ આદમીનો દ્રષ્ટિકોણ.
જીવનની જાતજાત-ભાતભાતની પરિસ્થિતિઓ અંગે જનતા શું વિચારે છે ?
જનતા શું અનૂભવે છે ?
જનતા શું સમજે છે ?
જનતા શું અપેક્ષા રાખે છે ?
જનતા શું માને છે ?
જનતાને શું લાગે છે ?
આ તમામ સવાલોના જવાબ એટ્લે .. જનમત
મંથન
વિચારોના આગમનની ઝડપનુ કોઇ માપ કાઢી શકાતુ નથી.
વિચારોની શક્તિનો અંદાજ મનન કરીએ પછી જ મળે.
જેમ દૂધમાંથી દહી – દહીમાંથી છાશ – અને છાશમાંથી માખણ નીકળી શકે
તેમ જ વિચાર મંથન પછી જ જીવન બહેતર બનાવવા
માટે જરુરી એવા વિકલ્પો વિકસાવી શકાય.
માર્ગદર્શન
જન્મથી જીવનના અંત સુધી માનવીને ડગલેને પગલે
- બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા તેમજ પ્રૌઢાવસ્થા દરમ્યાન માર્ગદર્શન વગર ન ચાલે.
મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે.
અહી તમે જીવનની જૂદી જૂદી પરિસ્થિતિઓ અંગે માર્ગદર્શન મેળવશો.
રોજનીશી – ૨૦૦૯
આ વર્ષે નિયમિત રીતે રોજે રોજ બે કે બાર લાઇન પણ લખવી જ છે. ગમે તે નહિ, ગમે તે જ !!
થોડામાં ઘણું ?? !!
સ્વ સાથેનો સંવાદ અને અન્યો પાસેથી જાણવા મળેલી જીવનને બહેતર બનાવતી એ દિલની વાતો દિમાગથી કરી અને કરાવી છે - કે જે અંતરના ઉંડાણમાંથી વહીને મન અને આત્માને ભીંજવતી રહી છે.
આશા છે કે તમને ગમશે.
વિશ્વ્ભરમા વસતા ગુજરાતી ભાષા જાણનારા સૌને માટે ગુજરાતી ભાષાના વિડિયો દ્વારા ગુજરાતનુ જીવન દર્શન કરાવતી મારી વેબસાઇટ પર પહોચવા અહી ક્લીક કરો :
[]
ભાઈ શ્રી અખિલ
આપની વાત સ્વ સાથે જ સંવાદ સાધવાની મને ખૂબ જ ગમી. જીવનના એક તબક્કે તો મનોબળ કેળવવું જ રહ્યુ કે મારા માટે બીજા શું વિચારશે અને બીજાને શું લાગશે તેવું વિચારવામાંથી મુક્તિ મેળવી અને પોતે પોતા માટે પોતાના વિચારો પ્રમાણે જીવનનો આનંદ મેળવવો જ જોઈએ. સ્વનો સ્વીકાર એટલે સંપૂર્ણ સ્વીકાર કે જેમાં ક્યાં યhttp તક્લીફ ન હોય ક્યાં ય પીડા ન હોય માત્ર અને માત્ર સમતા હોય સ્પષ્ટતા હોય ત્યારે એ સાચો સ્વીકાર બને.
આપના બ્લોગની મુલાકાત આનંદમય રહી. અભિનંદન. આવજો. મારા બ્લોગની મુલાકત પણ જરૂર લેવાનું રાખજો અલબત્ત આપની અનૂકુળતાએ. મારા બ્લોગની લીક
http.arvindadalja.wordpress.com
આભાર. આપના પ્રતિભાવની રાહ જોઈશ્
સ-સ્નેહ
અરવિંદ
By: arvind on March 22, 2009
at 10:46 pm
આપના જેવા વડિલો જયારે લખે કે, .. ગમ્યું … ત્યારે એવું થાય કે ચાલો જીવનમાં જે શીખવાની મથામણ કરતો હતો તેમાંનું કંઇક તો લેખે લાગ્યું .. બાકી અહીં ઇન્ટરનેટ પર તો માહિતીનો મહાસાગર ઘુઘવે છે .. મારા અનુમાન પ્રમાણે ૧૦૦૦થી ય વધારે બ્લોગરો રોજે રોજ સાહિત્ય, જાણકારી, મનોરંજન, વિશેષજ્ઞાન અને બીજું ઘણ; પીરસે છે .. ત્યારે એવું પણ થાય કે, કેટલું બધું હજુ જાણવાનું બાકી છે ? અને એટલે જ .. સ્વની સાથે, સ્વને માટે જે જરૂરી લાગે તે વિચાર સાથે સ્વને જોડેલો રાખવાનો.
By: અખિલ સુતરીઆ on March 24, 2009
at 8:03 am
khub umang umtyo..
mari matrubhasha ne koi ladkvayo malyo.
jyan jaye akhil ek gujarati
tyan sachej jivant gujarat.
By: manoj on March 13, 2009
at 9:59 pm
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
By: KANTILAL KARSHALA on November 29, 2008
at 12:07 am
Welcome to Gujarati Blog World.
By: Pancham Shukla on March 25, 2008
at 6:46 pm