મુંઝવણ

આપણને ક્યારે મુંઝવણનો અનુભવ થાય છે ?

જીવનમાં જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી જાય

અને ત્યારે એને સમજવા માટે આપણા માહિતિ, જાણકારી અને અનૂભવ ઓછા પડે.

જેટલુ શિખ્યા – ભણ્યા – ગણ્યા તે બધું જ ઓછુ પડતું હોય એમ લાગે.

ક્યારેક આ પરિસ્થિતિની જાણ કોઇને કરવામાં સંકોચ પણ લાગે.

જેને લીધે એકલતા ઘેરી વળી હોય એવું પણ લાગે.

ન કહેવાય – ન સહેવાય જેવી સ્થિતિમાં શું કરવું તેની સમજ ન પડતી હોય

ત્યારે …. થતા અનૂભવને મુંઝવણ કહેવાય.

તમે શું વિચારો છો?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.