લોકશાહી : : જનમત

ભારતનું ભવિષ્ય – ફ્યુચર ઓફ ઇન્ડીઆ : જનમત

ભારતની લોકશાહીને બચાવવા આટલું અવશ્ય વાંચો અને વંચાવો.

ભારતમાં થતી ચૂટણીઓમાં મતદાતાને મત આપવાનો અધિકાર ૧૮મે વર્ષે મળી જાય છે. પોતાના “મત” નો ઉપયોગ યોગ્ય ઉમેદવારને પસંદ કરવા માટે જ કરવાનો અધિકાર મતદારને મળ્યો છે.

ચૂંટણી લડી રહેલા પૈકી એક પણ ઉમેદવાર મતદાતાને યોગ્ય ન લાગે તેવા સંજોગમાં મતદાતાનો મત – “નો વોટ” તરીકે રજીસ્ટર થવો જોઇએ. તો જ સાચા અર્થમાં પ્રત્યેક મતદાતાએ કરેલ મતદાનનો અર્થ સાર્થક થાય.

ભારતિય ચૂંટણી પ્રક્રિયામાં મતદારને યોગ્ય ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાના અધિકાર સાથે સાથે, ચૂંટણી લડી રહેલા બધા જ ઉમેદવારો અયોગ્ય લાગતા હોય ત્યારે – “નો વોટ” નો મત આપવાની સગવડ / અધિકાર મળવા જોઇએ.

આ માટે ઇ.વી.એમ. (ઇલેક્ટ્રોનીક વોટીંગ મશીન) પર જેમ પ્રત્યેક ઉમેદવારના નામ અને નિશાન સામે તેની તરફેણમાં મત આપવા માટે બટન હોય છે તેવી જ રીતે તમામ ઉમેદવારોના લીસ્ટની નીચે એક વધારાનું બટન ”ઉપરનાઓમાંથી કોઇ નહી” ની તરફેણમાં હોવું જોઇએ.

 તો જ સાચા અર્થમાં લોકમત દ્વારા ખબર પડશે કે મતદાતાની પસંદ-નાપસંદ શું છે અને લોકશાહીમાં પ્રત્યેક નાગરીકના પ્રત્યેક પવિત્ર મતને ગણત્રીમાં લાવી શકાશે.

તમે શું વિચારો છો ?

 ભારતના રાષ્ટ્રપતિ, ભારતિય ચૂંટણી કમીશન અને ભારત સરકાર પાસેથી આ અધિકાર પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં સક્રીય બનો.

ઓન લાઇન ઇપીટીશન સાઇન કરો : http://www.ipetitions.com/petition/myvote

ઇ મેલ કરો : janmat@india.com

પત્ર રાષ્ટ્રની તમામ ભાષાઓમાં અનુવાદ પામીને વધુને વધુ લોકો સુધી પહોચે તેવી અપેક્ષા છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in ડાયરી and tagged . Bookmark the permalink.

1 Response to લોકશાહી : : જનમત

ટિપ્પણીઓ બંધ છે.