૦૨.૦૩.૨૦૦૯

કોઇ પણ એક માન્યતા અંતિમ હોતી નથી ..
 
જુદા જુદા નામે કે સ્વરૂપે …
 
રામ … રહિમ … જીસસ … અને …. એવા તો ઘણાં ….
 
લોકોએ જ આપેલા નામથી ઓળખાતી
 
આ અલૌકિક શક્તિ પર આધાર રખાય છે …
 
કોઇ પણ ધર્મના, જ્ઞાતિના કે સંપ્રદાયના લોકોની
 
આસ્થા જે ધર્મગ્રંથ પર હોય તે …
 
બાઇબલ, કુરાન કે ગીતા …  પથદર્શક છે …
 
જન્મથી મૃત્યુ સુધીની સફર મળેલા શરીર સાથે કરવાનું … માર્ગદર્શન છે …
 
શરીર અને ચૈતન્યનો ભેદ સમજાવતું … ડહાપણ ( wisdom ) છે …
 
જીવાત્મા, મહાત્મા અને પરમાત્માની અવસ્થાનો … પરિચય છે …
 
વામન કે વિરાટ – એ સ્વરૂપની કલ્પના છે …
 
પણ,
 
મને લાગે છે કે,
 
‘એ’ ની અનુભુતી એ ‘એની’ સાથેનો એકાકાર છે …
 
એટલે,
 
જો ‘એ’ નથી તો એ મારૂં અજ્ઞાન છે …
 
કારણકે,
 
‘એ’ છે તો અહીં જ છે … મારામાંથી જ વિસ્તરે છે …
 
અને પછી અણુએ અણુંમાં થઇને સમગ્ર સૃષ્ટિને પોતાના કવરેજ વિસ્તારમાં રાખે છે.
જીવન અને મરણ … શરીર સંબંધીત ઘટના છે
… ચૈતન્ય સાથે નહિં.
 

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.