૧. આપણા જ નહિ પરંતુ અજાણ્યા હોય તેવા વડિલોની આપણને ન ગમતી આદતોને પણ માન આપવું. સુધારો આપણામાં જ થાય. તેમની બહુત ગઇ થોડી રહી, એટલે આપણી બહુતને બગાડવાનો શો અર્થ ?
૨. આપણાથી નાનેરાઓને ઊપરની વાત શીખવવી. આપણા આચરણનું અનુકરણ બહુ જ સહેલાઇથી કરી શકતાં હોય છે એટલે જો હશે તો દંભ છતો થઇ જશે અને નહિ હોય તો કામ થઇ જશે. ૩. આપણને અનુકૂળ ન આવતા હોય તેવા વ્યક્તિઓ સાથે પણ જેટલો સાથ નિભાવવાનો આવે તેટલો આનંદથી કોઇ પણ જાતના અવરોધ વગર સ્વીકારી જ લેવામાં મોજ છે. મનગમતી વૈકલ્પિક પરિસ્થિતીના નિર્માણની તૈયારી કરતા રહેવાનું. ૪. મોટા થઇ ગયેલા શરીરની અંદર રહેલા બાળકને જે રમત રમવાનું મન થાય તે મુક્ત પણે રમો. દા.ત: લખોટી, લંગડી, સાતઠીકરી, નારગોળીયો, હાથસાંકળી, આંધળોપાટો ….. કે રેતીના ઢગલામાં !!! ૫. દિવસમાં ચાર વખત મનગમતું ખાવાનું ખાઓ …. અકરાંતિયાની જેમ નહિ, થોડું થોડું .. સ્વાદની મજા આવે એટલુ ધીરેથી … પલાઠી મારી નીચે બેસીને … યાદ રાખો, જીવવા માટે જે ખાઓ છો તેની મજા લેવી પણ જરૂરી છે. ૬. આરામ કરો. લા……..મ્બી તાણીને ઘસઘસાટ નીંદરવાની અને નસકોરવાની તો વાત જ નહિ કરતા. બસ, હળવેથી પોપચા ઢાળીને શરીરના અવયવ ઢીલા મૂકી દો અને જ્ઞાનતંતુઓને મોકળાશ અનુભવડાવો. ૭. માન્યતા કરતાં વધારે તમારી લાગણી લોકો સાથે વહેંચો. દિમાગની વાતો પણ દિલથી કરી જ શકાય. ૮. લાગણીઓને વાચા આપો. લાગણીઓને કહેતા ના આવડતું હોય તો તમારી આંખ અને તમારા સ્પર્ષને મોકળા કરો. ૯. આ ધરતી પર ક્યાંક એક એવું પદચિન્હ છોડી જજો કે ત્યાં બેસનારને તમે હો કે ન હો છતાં તમારા અસ્તિત્વનો અહેસાસ થાય. જાત અનુભવે .. અખિલ. |
નવજીવન માટે નવ પગથીયાં
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.