હેડલાઇન્સ

અખબારોની હેડલાઇન્સ કે ટીવીના બ્રેકીંગ ન્યુઝ …

હ્રદયની બળતરા વધતી જાય છે …

છેલ્લા બે વરસ દરમ્યાન ગુજરાત રાજયના અંતરિયાળ અને સરહદી ક્ષેત્રોમાં પ્રવાસ કરીને જોવું પડયું છે કે, ઝવેરચંદ મેઘાણી, નર્મદ, બાપુ કે સરદારની જ ધરતી પર પ્રજા નિર્માલ્ય બનતી ગઇ છે.

તળીયું આવી ગયા જેવું લાગે છે પણ તો ય … હજુ પતન થઇ રહ્યાનો અહેસાસ થાય છે.

વર્તમાન પત્રો અને પ્રસાર માધ્યમો પોતાને ચોથી જાગીર ગણાવીને સ્વતંત્ર વીચાર દર્શાવવાને બદલે સ્વચ્છંદી વીચાર પક્ષપાતી ભાષામાં ઠોક્યે રાખે ત્યારે …

તે વાંચનારા નાના કૂમળા માનસના બાળકો કે કિશોરો પર ભારતની કેવી છબી તૈયાર થાય ?

પાડોશી દુશ્મનોએ કદાચ આમને ભારતની પ્રજાને વૈચારીક રીતે લકવાગ્રસ્ત અને અમલીકરણ માટે અસહાય કરી નાખવાનું કામ સોંપ્યું હોય તો ય નવાઇ હવે લાગવી ના જોઇએ.

… વિકાસ પહેલા વિનાશ અનિવાર્ય છે .. માં થોડો ફેરફાર .. વિકાસ પહેલા સર્વનાશ અનિવાર્ય છે.

પણ ક્યારે ?? ત્રીસમી ફેબ્રુઆરીએ ? !!!

🙂 😦

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.