આનંદ

પરિવર્તન એ સંસારનો નિયમ તો છે જ.

સુખથી મળતી ખુશી ક્ષણિક હોય. .. દુ:ખથી થતી પીડા પણ ક્ષણિક જ હોય.

પરંતું, આનંદ શાશ્વત છે.

હું ‘હું’ નથી .. તમે ‘તમે’ નથી;

અથવા

હું ‘તમે’ છું કે પછી તમે ‘હું’ છું માની લેવાનું જ્ઞાન કે અજ્ઞાન ??

સાપેક્ષની વાસ્તવિકતામાંથી નિરપેક્ષની સમજણ કેળવાય તો

સર્વત્ર આનંદ જ આનંદ.

‘હું’ નો અહંકાર કે અહમ જેમ જેમ ઓગળતો જાય તેમ તેમ સત્ય નજદીક આવતું અનુભવાય.

અને સત્ય … એટલે આનંદ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to આનંદ

  1. સુરેશ જાની કહે છે:

    ‘હું’ નો અહંકાર કે અહમ જેમ જેમ ઓગળતો જાય તેમ તેમ સત્ય નજદીક આવતું અનુભવાય.

    અને સત્ય … એટલે આનંદ.

    ના! બિલકુલ નહીં.

    એક માત્ર સત્ય એ છે કે, ‘ હું છું.’
    ફરક માત્ર એ જ છે કે, કોઈ એ ‘ હું’ કોણ છે; તે જાણતા જ નથી.
    મને તો બસ! મારો એ ‘ હું’ મળી જાય.
    મજો આવી જાય !!

  2. praheladprajapati કહે છે:

    સરસ ,
    હું , કહેતો હરી વેગળા

ટિપ્પણીઓ બંધ છે.