સંસ્મરણ ૧

૧૪ મી મે, ૨૦૧૧

આજે સાત દિવસ થયા પિતાજીના સ્વર્ગવાસને.

આપ સૌની પ્રાર્થના અને દિલાસાથી અમે એમની ગેરહાજરી સહન કરવાની શક્તિ મેળવી રહ્યા છીએ.

મારા પિતાજી પાસેથી મેળવેલ માર્ગદર્શનના કેટલાક મણકા …

– અન્યોને આપણા થકી કદી દુ:ખ ન પહોંચે તે બાબતે સજાગ રહેવુ. કદાચ દુ:ખ પહોંચાડાઇ જાય તો માફી માંગવામાં જરાય વિલંબ ન કરવો.

– સમય જેટલો આપણા માટે કિંમતી છે એટલો જ કે એથી ય વધારે સામેવાળા માટે કિંમતી હોઇ શકે એ ખ્યાલ હંમેશા રાખવો.

– સવારથી સાંજ દરમ્યાન જેમને મળો તેમની સાથે સ્મિત સહિત સંવાદ કરો.

ક્રમશ:

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.