સવાલ

સવાલ એ છે કે, ઇશ્વર ક્યાં છે ?

સવાલ એ છે કે, ઇશ્વર એની બનાવેલી સૃષ્ટીને જૂએ છે ?

સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા જીવોને જૂએ છે ?

સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓને જૂએ છે ?

સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓને સાંભળે છે ?

સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓ માટે કંઇ કરવા માંગે છે ?

સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓ માટે હવે કંઇ કરવા માંગે છે ?

સવાલ એ છે કે, ઇશ્વર એના બનાવેલા માનવીઓ માટે હવે પછી ક્યારેય કંઇ કરવા માંગે છે ?

સવાલ એ છે કે, ઇશ્વર શા માટે સૂકા ભેગું લીલું બાળે છે ?

સવાલ એ છે કે, ઇશ્વર શા માટે ધીરજની કસોટી કરે છે ?

સવાલ એ છે કે, ઇશ્વરે શા માટે જીવનની ભેટ આપી છે ?

સવાલ એ છે કે, ઇશ્વર શા માટે મૃત્યુથી ભયભીત રાખે છે ?

સવાલ એ છે કે, ઇશ્વર શા માટે માનવીને સવાલ પૂછતો નથી ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.