પ્રાર્થના

મને તો એજ સમજાતું નથી કે

મનુષ્ય શા માટે ઇશ્વર પાસે યાચક બનીને ઉભો રહી જાય ?

…. જીવનની પ્રત્યેક પરિસ્થિતી ઇશ્વરે તેના માટે જ નિર્માણ કરી છે

… સુખ કે દુ:ખની અનુભૂતિ કરાવવા

…આનંદ કે શોકની અનુભૂતિ કરાવવા

… વિજય કે પરાજયની અનુભૂતિ કરાવવા

… તો તેની સામે સગવડીયું વલણ અપનાવવાને બદલે સ્થિતપ્રજ્ઞતા મેળવવા પ્રાર્થના જ એક માત્ર રસ્તો છે

… કંઇક માંગવા માટે નહિ પણ આવી( એવી કપરી) પરિસ્થિતીનો અનુભવ કરાવવા બદલ આભાર માનવા !!!

… હું પ્રાર્થના ઇશ્વરને થેન્કયુ કહેવા કરતો હોઉ છું.

… કારણકે, અંતરના ઉંડાણમાં ઉતરીને એવું જ લાગ્યું છે કે,

તેણે મને મારી લાયકાત કે યોગ્યતા કરતાં કંઇક અનેક ગણું વધારે જ આપ્યું છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to પ્રાર્થના

  1. મારી પ્રાર્થના પણ આપની સાથે સમાનતા ધરાવે છે.

ટિપ્પણીઓ બંધ છે.