મને એ સમજ નથી પડતી કે

મને એ સમજ નથી પડતી કે લોકો ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ દ્વારા શા માટે મોકલતા હશે ?

મને એ સમજ નથી પડતી કે મોંઘાદાટ મોબાઇલફોન વાપરનાર ફોનબુકનું મેનેજમેન્ટ કર્યા વગર અને પોતા પર આવતા ‘સુવિચારો’ના ઉકરડાને વિચાર્યા વગર ફોરવર્ડ શા માટે કરે છે ?

મને એ સમજ નથી પડતી કે લોકો ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ દ્વારા મોકલતા પહેલા ‘મેળવનાર’ની મંજૂરી કેમ નથી મેળવતા ?

મને એ સમજ નથી પડતી કે લોકો ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ ‘મેળવનાર’ની મંજૂરી વગર ગમ્મે તે સમયે શા માટે મોકલતા હશે ?

મને એ સમજ નથી પડતી કે લોકો ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ ‘મેળવનાર’ની મંજૂરી વગર ગમ્મે તે સમયે મોકલનારને કોણ સમજાવશે કે સામાન્ય રીતે સવારે 9 થી સાંજે 5 દરમ્યાન આવા મેસેજ મોકલવા એ અશિસ્ત કહેવાય ?

……………………………………………..

કારણકે, સંભવ છે કે સંદેશ મેળવનાર …

મહત્વની મીટીંગમાં વ્યસ્ત હોય.

ભરચક રસ્તા પર વાહન ચલાવતા હોય.

જીવન નિર્વાહ માટે અનિવાર્ય એવા કાર્યમાં ગુંથાયેલા હોય.
………………………………………………

એટલું તો જાણી જ લેવું જોઇએ કે,

તે સાવ નવરાધૂપ તો નહિ જ હોય !

દરેક વ્યક્તિ પોતાને જરૂરી એવા સારા, સાચા, સાદા, સરળ, અપનાવી શકાય એવા સુવિચાર ગમ્મે ત્યાંથી મેળવી જ લેતા હોયછે.

અને છેલ્લે, ……………………………………

ફેસબુક પર આગલે દિવસે બધાએ મેળવેલા સંદેશાઓના ફરી પાછા ઢગલા થાય …

જૂનો સ્ટોક આપીને નવો સ્ટોક મેળવીને લોકો ફરી પાછા ઢગલેબંધ સુવિચારો મોબાઇલ પર એસએમએસ દ્વારા શા માટે મોકલવાના કામમાં કેમ બીઝી થઇ જતા હશે ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.