ગુજરાતથી અહિ ઉદયપૂરની વિવિધ કોલેજોમાં ભણવા આવેલ યુવાનોની સંખ્યા દર વર્ષે વધી રહી છે.
ઊચી ફી અને મોટા ડોનેશન ચૂકવનાર ” … અમે વ્યાવસાયિક અભિગમ અને વૈજ્ઞાનિક પધ્ધતિ વડે ભણાવશું …” ની જાહેરાતને સમજવામાં ગુજરાતીઓ કેમ થાપ ખાઈ જતા હશે ? શિક્ષણ અને ભણતરના થયેલા વ્યાપારીકરણ નો ભોગ ગુજરાતીઓ કેમ બનતા હશે ? આંખને જોવી ગમે પણ ભણતર કે ગણતર કે ઘડતર સંબંધે ગળે ના ઉતરે એવી સગવડથી ગુજરાતીઓ કેમ અંજાઇ જતા હશે ? GTU અને અહિંના અભ્યાસક્રમ વચ્ચે પણ તફાવત છે. ઉચ્ચ શિક્ષણ પામેલ શિક્ષકોને ભણાવવાનો અનુભવ સિલેબસ પૂરતો પરીક્ષાલક્ષી જ હોય એમ લાગે છે. (સંભવ છે તેમ કરવાનું કારણ વિદ્યાર્થીઓની મરી પરવારેલી જીજ્ઞાસા પણ હોય ) આવનારા ભવિષ્યમાં કેટલું .. કેવું .. કેવી રીતે .. ભણેલા શિક્ષિતોની વસ્તી નિશ્ચિત વધશે પણ સમાજને ઉપયોગી થઇ પડે કે શકે એવા નાગરિક બનવા અહિ આવેલો ગુજરાતી વિદ્યાર્થી શું કરશે ? મને ખબર નથી. અખિલ .. ૦૩.૧૨.૧૨ |
મને ખબર નથી.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.