Posted by: અખિલ સુતરીઆ | June 30, 2009

ઉમરગામનો પ્રવાસ

 

તા. ૧૪.૦૬.૨૦૦૯ ને ઉમરગામ ખાતે સામાન્ય રીતે હું કરતો હોઉ છું તે કરતાં જરા જૂદી રીતે વ્યક્તિત્વ વિકાસલક્ષી ચાર ટૂંકા સેમીનારનું ફિલ્મ શો સાથે આયોજન કર્યું હતું.

૧. સવારે ૯ થી ૧૧ દરમ્યાન ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘એકવીસમી સદીના પડકારો’

૨. સવારે ૧૧.૧૫ થી બપોરે ૧.૧૫ દરમ્યાનધોરણ ૪ થી ૯ના બાળકો માટે ‘ઘર અને સ્કૂલ’

૩. બપોરે ૩ થી સાંજે ૫ દરમ્યાન નવા પરણેલા દંપતિઓ અને નાના બાળકોના માતા–પિતા માટે ‘બ્રીન્ગીગ અપ કે અપ બ્રીન્ગીગ ઓફ ચીલ્ડ્રન’

૪. સાંજે ૫.૩૦ થી રાત્રે ૭.૩૦ દરમ્યાન સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, ઔદ્યોગિક એકમોના પ્રતિનીધીઓ સહિત જાહેર જનતા માટે ‘પ્રેઝેન્ટ સીનારીયો ઓફ એજયુકેશન – સીસ્ટમ, સીલેબસ, ઇકોનોમીક્સ એન્ડ એપ્રોચ’

મારો અનુભવ રેડિયો અખિલ પર સાંભળી શકાશે.

આ પ્રવાસની કેટલીક તસવીરો

 

તમારા શહેરમાં પણ આવું આયોજન થઇ શકે.

Posted by: અખિલ સુતરીઆ | June 12, 2009

દિલની વાત

આજનું મંથન

આજનો  પ્રયત્ન હેઠળ તમે જે કર્યા હાથ ધરો છો એની માહિતી કાર્ય થયા બાદ આપો તો વાચવાની મજા આવે. લોકોના પ્રતિભાવ રસિક  હોતા હશે .. એક વાચક.

…………………………………………………………………………………….

તમારૂ સુચન સરસ છે.
 
મારા કાર્યનો અનુભવ જાણવાની ઇચ્છા વ્યક્ત કરનાર તમે સૌ પ્રથમ વ્યક્તિ છો.
 
આશરે ૩૦૦૦ મિત્રોને મારી ‘આજનું અપડેટ’ રોજે રોજ નિયમિત રીતે મોકલાય છે.
 
સૌને ઉપયોગી થઇ પડશે એવી જાણકારી વાળી બે કે ત્રણ મેઇલ્સ હું દિવસ દરમ્યાન ફોરવર્ડ કરું છુ.
 
જો તે સ્પામ કે બલ્ક ફોલ્ડરમાં જતી રહેતી હોય તો – મને ખબર નથી.
 
તેમાંથી કેટલાને તેમના ઇનબોક્ષમાં મળે છે – મને ખબર નથી.
 
વાંચ્યા વગર જ જો ડીલીટ થઇ જતી હોય તો – મને ખબર નથી.
 
કેટલા મિત્રો વાંચે છે – મને ખબર નથી.
 
ઉપર ઉપરથી વંચાઇ જતી હોય તો – મને ખબર નથી.
 
કેટલાને તેમાં રસ પડે છે – મને ખબર નથી.
 
કેટલા મિત્રો ફોરવર્ડ કરે છે  – મને ખબર નથી.
 
કેટલાક મિત્રો કેટલીક તેમને લાગેલી સારી અને કામની મેઇલ્સ સાચવે છે – એવું કદીક ક્યારેક કોક દ્વારા તે કહે કે લખે ત્યારે જ ખબર પડે છે.
 
યાહુ પર અખિલ ટીવીની ઇફોરમ સ્થાપવાનો હેતુ જ સંવાદ રચવાનો હતો .. પણ હજુ સુધી કોઇ ચોક્કસ વિષય પર સદસ્યો દ્વારા કોઇ સંવાદ શરૂ જ નથી થયો.
 
…. મારે તો વરસાદી વાદળની જેમ મારી પાસે જે જાણકારી, માહિતી અને અનુભવ છે તે વરસાવતા રહેવાનું, કોણ ભીંજાશે, કોણ પલળશે, કોણ ભીનું થશે કે પછી કોણ કોરૂં રહી જશે તે વિચારવાનું મારૂં કામ નથી.
 
અમારી મોજ અને અમારો આનંદ આ સૌના કેન્દ્ર્માં છે. જો એ મળવો બંધ થશે તો …. અમે પણ અહિથી વિદાય લઇ લઇશું.
 
અમારા પહેલા પણ જગત હતું … અમારી સાથે પણ જગત છે …. અમારા વગર પણ જગત રહેશે જ.
 
બરાબરને ?

  અખિલ સુતરીઆ

 –  ખાસ નોંધ –

હવે અમારા પ્રેરણાદાયી ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક નાગરીક બનાવવાના અભિયાન ‘માર્ગદર્શન’ના આયોજન તેમજ સંચાલનમાં પરોવાઇ જઇશુ જેથી અહિ અમે અનિયમિત થવાના.

મારો સંપર્ક હવે ટેલિફોન 02632 243474 / 240842 અથવા મારા મોબાઇલ ફોન 9427 222 777 પર કરવો વધુ ઇચ્છનિય રહેશે.

Older Posts »

Categories